
પરિણિત સ્ત્રીઓએ કરેલા આપઘાતમાં મદદગારી કરી હોવાનું માની લેવા બાબત
કોઈ સ્ત્રીએ આપઘાત કર્યા હોય તેમાં તેના પતિએ અથવા તેના પતિના કોઇ સગાએ મદદગારી કરી હતી કે કેમ એવો પ્રશ્ન હોય અને એવું દર્શાવવામાં આવે કે તેણીનું લગ્ન થયાની તારીખથી સાત વષૅની મુદતની અંદર તેણીએ આપઘાત કયો છે અને તેણીના પતિએ અથવા તેણીના પતિના એવા સગાએ તેણી ઉપર ક્રુરતા આચરી હતી તો ન્યાયાલય કેસના બીજા તમામ સંજોગો ધ્યાનમાં લઇને એવા આપઘાતમાં તેણીના પતિએ અથવા તેણીના પતિના એવા સગાએ મદદગારી કરી હોવાનું માની લઇ શકશે.
Copyright©2023 - HelpLaw